Posts

Showing posts from March, 2018

ન સમજ્યો

મનના મંદિરમાં ઘંટારવ થયો ને દિલનો દરિયો તોફાને ચડ્યો વિચાર સાથે એક યાદ લઈને આવ્યો ને ચહેરા પર ખુશીનો દુકાળ છવાયો આંખોની અષાઢી વાદળી ગઈ વરસી છતાંય ભાવનાઓ રહી ગઈ તરસી એ વાત મારી આંખોથી અંતરમાં ચડી સવાર થયા પહેલા આજે સાંજ ઢળી એ ઝરણું પણ ગરજયું દરિયાની જેમ જે ભટકતુ'તું માર્ગમાં આમ થી તેમ એ હું સમજ્યો નહીં કોઈ પાગલની જેમ હું વહી ગયો જાણે નદી પરથી 'પવન' વહે એમ
કોલેજ–પ્રથમ વર્ષ           હમણાં મારા કોલેજમાં દોઢ વર્ષ પત્યા એટલે ઈચ્છા થઈ કે મારા પહેલા વર્ષ વિષે લખું. મેં જે સાંભળ્યું હતું એના કરતા ઘણો અલગ અનુભવ મળ્યો છે. સોશિયલ મીડિયા એ કોલેજ લાઈફ વિષે ઘણું કહ્યું પણ મને એમાંની ઘણી ખરી વસ્તુઓ જોવા ના મળી અને બીજું ઘણું જોવા મળ્યું. મારા કેટલાક અનુભવો અહીંયા વર્ણવું છું.           ભણવામાં હું થોડો હોશિયાર હતો. સ્કૂલમાં રિસલ્ટ લગભગ કન્સિસ્ટન્ટ આવતું. દસમા ધોરણમાં હતો એટલે જીવનનો કઈ એવો ખાસ ગોલ હતો નઈ પણ અગિયારમા ધોરણમાં એન્જીનીયરીંગ કરી લઈશું એવું વિચારીને મેથ્સ રાખ્યું. પછી તો ભણવામાં બારમા ધોરણનું જીવનનું સૌથી મોટું વેકેશન પણ જતું રહ્યું( jee-advanced તરીકે જાણીતી સૌથી ભારે પરિક્ષાઓમાંની એક વેકેશનના અંતમાં આવતી હતી). એટલે પછી વિચારેલું કે કોલેજમાં જઈને બધું વસૂલ કરી દઈશું. અને બીજા બે મહિના પછી હું કોલેજમાં હતો.           કોલેજના પહેલા વર્ષમાં જયારે વિદ્યાર્થીઓ(સાચે જ) પ્રવેશે એટલે એમના મનમાં એક સહજ વિચાર ચાલતો જ હોય કે હવે તો કોલેજમાં આવી ગયા. હવે કોઈ જ જાતનું બંધન નઈ ; જલસા જ કરવાના. જયારે જઉં હોય ત્યારે જવાનું ને મેઈન તો સ્કૂલડ્રેસ

જીવન-વિજ્ઞાન

વિજ્ઞાનને જીવન સાથે જોડવાનો એક પ્રયત્ન :                             સાયન્સ સ્ટુડન્ટ હશે એ કદાચ જાણતા હશે કે ભૌતિશાસત્ર એટલે કે ફિઝિક્સમાં ભણાવવામાં આવતું કે જયારે કોઈ પદાર્થ કે સિસ્ટમ એનર્જી એબ્સોર્બ કરે એટલે કે સ્વીકારે એટલે એ અનસ્ટેબલ થઇ જાય અથવા કહીએ કે ઉત્તેજિત અવસ્થામાં આવી જાય અને એનર્જી ગુમાવે એટલે એ ધીમે ધીમે સ્થિરતા તરફ જાય. અને બધી એનર્જી ગુમાવી દેતા એકદમ સ્થિર થઇ જાય. તમારે એ પદાર્થ કે સિસ્ટમ સાથે કામ લેવું હોય તો એને અનસ્ટેબલ કરવો પડે તો જ એ સ્થિર થવાના રસ્તે તમને કામ આપતો જાય.                હવે જીવનમાં જોઈએ તો કૈંક એવું જ જોવા મળે છે. વ્યક્તિ અનસ્ટેબલ હશે તો એને આગળ જવાની ધગશ હશે , કૈંક કરવાનો જુસ્સો હશે અને કૈંક કામ પણ કરી શકશે. જેમ જેમ એ સ્ટેબિલિટી તરફ જશે એમ એના કામ કરવાનો કે આગળ વધવાનો દર ઘટતો જશે. અને જયારે એ સ્ટેબલ થઇ જશે એટલે એ આગળ વધતો રોકાઈ જશે. જે વ્યક્તિને કોઈ મોહ નથી એટલે કે એ જીવનના સ્ટેબલ સ્તર પર આવી ગયેલ છે અથવા જીવનને એ સ્તરે લાવી દીધેલ છે એને સાધુ કહી શકાય. પણ જો વ્યક્તિ સંસારમાં રહીને એમ માનવા લાગે કે જે છે એ બઉ છે ત્યારે એનો વિકાસ અટકી જાય છે. સ્

આવું પણ હોય છે

નદીઓ સુકાયેલી પણ હોય છે અને રણમાં પાણી પણ હોય છે, પર્વતો રેતીના અને ટેકરીઓ પથ્થરની પણ હોય છે, વસંત મુરઝાયેલી અને પાનખર ખીલેલી પણ હોય છે, ક્યારેક ચોમાસું કોરું અને ઉનાળામાં વરસાદ પણ હોય છે, નફરતમાં ગુસ્સો અને ગુસ્સામાં પ્રેમ પણ હોય છે, સૂર આલાપના પણ હોય છે સૂર વિલાપના પણ હોય છે, ચહેરો જોઈને તમે કોઈના મનને ના સમજી શકો સાહેબ, કેમ કે , હાસ્ય દુઃખનું પણ હોય છે અને આંસુ ખુશીના પણ હોય છે.